September 18, 2017 by miraniparivar

આસો નવરાત્રી કાર્યક્રમ

આત્મિય ભાઈશ્રી/બહેનશ્રી, આધોઈ મંદીર ખાતે માતાજીના નવરાત્રી ઊત્સવનો કાર્યક્રમ નીચે મુજબ છે.   ઘટસ્થાપના                :    ભાદરવા વદ – ૩૦ તા : ૨૦/૯/૨૦૧૭ બુધવાર, બપોરે ૧૨ – ૩૦ કલાકે. અષ્ટમી પૂર્ણાહૂતી        :    આસો સૂદ ૮ ગુરુવાર, તા : ૨૮/૦૯/૨૦૧૭ બપોરે ૧૨ – ૩૦ કલાકે. નવરાત્રી હવન            :    વિજયા દશમી, શનિવાર તા : ૩૦-૦૯-૨૦૧૭.                                                      પ્રારંભ : સવારે ૮-૩૦ કલાક થી શ્રીફળ હોમ : બપોરે ૧૨ – ૩૦ કલાકે.   આ વખતે હવનના મુખ્ય યજમાન પદે આદિપુર કચ્છના શ્રી ધીરજલાલ મેઘજીભાઈ મીરાણી તેમના પરિવારજનો સાથે બીરાજશે. નોંધ :

  • નવરાત્રી દરમ્યાન આધોઈ મંદિર ખાતે રહીને આરાધના કરવા ઈચ્છતા પરિવારજનોએ ધીરુમહારાજનો ફોન નંબર ૯૯૨૫૦ ૯૪૧૧૦ પર સંપર્ક કરીને જાણ કરવા વિનંતી જેથી તેમની રહેવાની તથા મહાપ્રસાદની યોગ્ય વ્યવસ્થા કરી શકાય.
  • કારતક સુદ – ૮ શનીવાર તા . ૨૮-૧૦-૨૦૧૭ બપોરે આધોઈ મંદિર ખાતે માતાજીને  છપ્પનભોગ મહેસાણાના શ્રી પ્રવિણભાઈ શીવરામભાઈ મીરાણી પરિવાર તરફથી ધરાવવામાં આવશે.
  • હર વર્ષની જેમ મુખ્ય યજમાન તથા ધજા આરોહણની કુપનનો ડ્રો પોષ સુદ – ૮ મંગળવાર તા – ૨૬/૧૨/૨૦૧૭ ની મીટીંગમાં કરાશે તો આપના પ્રવાસનુ આયોજન તે મુજબ કરવા વિનંતી.

  સર્વ ભાઈ – બહેનોને આ બધા ઉત્સવોમાં સામેલ થવા નમ્ર વિનંતી.   આ પરિપત્ર આપણે મર્યાદિત સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ તથા હરેક ગામમાં રહેતા બે-ત્રણ પરિવારજનોને મોકલીએ છીએ, તો પરિપત્ર મેળવનાર પરિવારજનોને નમ્ર વિનંતી કે આપના સંપર્કમાં હોય તેવા સર્વ મીરાણી ભાઈ-બહેનોને આ કાર્યક્રમોની વિગતવાર જાણ કરીને આયોજકોને સાથ સહકાર આપશો.  

લી.

શ્રી મીરાણી કુળદેવી બુટભવાની ચેરીટેબલ ટ્ર્સ્ટ રચીત સમિતિ વતી,

ભરતભાઇ ડી. મીરાણી – રોહિતભાઈ આર. મીરાણી

માનદ મંત્રીઓના જય માતાજી.

Contact

Please reach out us with following available contact us details. We try to reach out as soon as possible depend on our availability. 

Note: You can also send the student final exam result from Contact US form for award which We organize every year on Mahavad Chaththa Havan.

Location:

Maa Boot Bhavani Dham
Adhoi, Kanthkot Road,
Taluka Bhachau, Kutch,
Gujarat, India
Pincode: 370135
Gujarat India